આ રેલી 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી કાશ્મીર સુધી વિપક્ષી પાર્ટીની 3500 કિલોમીટરની ‘ભારત જોડો યાત્રા’ પહેલા થઇ હતી. જ્યાં રાહુલ ગાંધી દેશભરમાં યાત્રા કરીને મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર ભાર આપશે અને સાંપ્રદાયિક સદભાવનાને પ્રોત્સાહન આપશે. ‘ભારત જોડો યાત્રા’ કોંગ્રેસ પાર્ટીનો અત્યાર સુધીનો સૌથી મોટો જનસંપર્ક કાર્યક્રમ છે. જ્યા પાર્ટીના નેતા જમીની સ્તર પર સામાન્ય લોકો સુધી પહોંચશે.
આ પણ વાંચો – આઝાદનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યુ- સારું છે 8 વર્ષ પછી રાહુલને મોંઘવારી-રોજગારી યાદ તો આવી!
રાહુલ ગાંધીએ કહ્યું કે મીડિયા, ન્યાયપાલિકા, ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ પર દબાણ વધી રહ્યું છે, સરકાર તે બધા પર હુમલો કરી રહી છે. આજે જે બેરોજગારી જોવા મળી રહી છે તે આવનાર સમયમાં હજુ વધશે. મીડિયા દેશવાસીઓને ડરાવે છે, તેનાથી નફરત જન્મે છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં ભવિષ્ય, મોંઘવારી અને બેરોજગારીનો ડર વધી રહ્યો છે. જેના કારણે દેશમાં નફરત વધી રહી છે. નફરતથી લોકો અને દેશ વહેંચાય છે જેનાથી દેશ કમજોર થાય છે. દેશની હાલત તમને જોવા મળી રહી છે. જ્યારથી બીજેપી સરકાર આવી છે ત્યારથી દેશમાં નફરત અને ક્રોધ વધી રહ્યો છે. વર્તમાન સરકાર લોકોને ડરાવી રહી છે. આ ડરનો ફાયદો કિસાન અને મજૂરોને થઇ રહ્યો નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Congress News, રાહુલ ગાંધી