Astrology

oi-Manisha Zinzuwadia

|

Surya Grahan 2023: આજે એટલે કે 20 એપ્રિલના રોજ સવારે 7 વાગીને 4 મિનિટે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ શરુ થઈ ચૂક્યુ છે. જે બપોરે 12.29 વાગ્યા સુધી ચાલશે. 5 કલાક 24 મિનિટ સુધી ચાલનારુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં.

આ સૂર્યગ્રહણ ભલે ભારતમાં ન દેખાય પરંતુ આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ 20 એપ્રિલે સૂર્યગ્રહણ સમયે રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

મેષઃ આ રાશિના લોકોનો સ્વામી મંગળ છે. ગ્રહણ દરમિયાન કરવામાં આવતા દાનમાં મંગળને પ્રસન્ન રાખતી વસ્તુઓનો સમાવેશ કરો. મસૂરની દાળ, લાલ કપડું અને ગોળનું દાન કરો.

Solar Eclipse 2023 Live: આજે લાગશે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો ક્યાં-ક્યાં દેખાશે?Solar Eclipse 2023 Live: આજે લાગશે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો ક્યાં-ક્યાં દેખાશે?

વૃષભ: આ રાશિનો સ્વામી શુક્ર છે. તેમને પ્રસન્ન કરવા માટે જાતકોએ શુક્ર સંબંધિત સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. ખીર, કપૂર, ચોખા, ખાંડ, સફેદ કપડું, દૂધ અને દહીંનું દાન કરો.

મિથુનઃ આ રાશિનો સ્વામી બુધ છે. ગ્રહણ સમાપ્ત થયા પછી જાતકોએ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ અને મા દુર્ગાને લીલી ચુંદડી અર્પણ કરવી જોઈએ. તેની સાથે લીલા શાકભાજી અને લીલા મગની દાળનું દાન કરો.

કર્કઃ આ રાશિના ગ્રહ દેવતા ચંદ્ર છે. તેમને ખુશ કરવા માટે ગ્રહણ પછી ગરીબોમાં સફેદ કપડાં, દૂધ, ચોખા અથવા દૂધથી બનેલી મીઠાઈઓ વહેંચો.

Surya Grahan 2023: 20 એપ્રિલ વૈશાખ અમાસે લાગશે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર અસરSurya Grahan 2023: 20 એપ્રિલ વૈશાખ અમાસે લાગશે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર અસર

સિંહઃ આ રાશિનો સ્વામી સૂર્ય દેવ માનવામાં આવે છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સૂર્યના અશુભ પ્રભાવથી બચવા માટે ઘઉં, ગોળ, તાંબાના વાસણો અને નારંગી વસ્ત્રોનું દાન કરવું જોઈએ.

કન્યાઃ આ રાશિનો સ્વામી બુધ છે. તેમની સ્થિતિ સ્થિર રાખવા અને સકારાત્મક પરિણામ મેળવવા માટે લીલા રંગની વસ્તુઓનું દાન કરો. માતાને લીલી ચુંદડી ચઢાવો, ગાયને લીલું ઘાસ ખવડાવો અને જરૂરિયાતમંદ લોકોને લીલા કપડા અથવા લીલા મગની દાળ આપો.

તુલાઃ આ રાશિનો શાસક ગ્રહ શુક્ર છે. ગ્રહણ પછી શુક્ર સંબંધિત સફેદ વસ્તુઓનું દાન કરો. ચોખા, દૂધ, ખીર, ખાંડ, સફેદ વસ્ત્ર વગેરે જરૂરિયાતમંદ લોકોને દાન કરો.

Surya Grahan 2023: 20 એપ્રિલ સૂર્યગ્રહણ પર મળશે અનેક સમસ્યાઓનો ઉકેલ, જાણો શું કરવાનુ રહેશે?Surya Grahan 2023: 20 એપ્રિલ સૂર્યગ્રહણ પર મળશે અનેક સમસ્યાઓનો ઉકેલ, જાણો શું કરવાનુ રહેશે?

વૃશ્ચિકઃ આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી જાતકોએ લાલ વસ્ત્ર, ગોળ, મસૂરનું દાન કરવું જોઈએ. તેનાથી ગ્રહણની આડ અસર દૂર થશે અને મંગળની દશા યોગ્ય રહેશે.

ધનઃ આ રાશિનો સ્વામી ગુરુ ગ્રહ માનવામાં આવે છે. ગ્રહણના દિવસે જાતકોએ પીળા રંગની વસ્તુઓ જેમ કે હળદર, કોળું, ચણાનો લોટ, કેસર, ગોળ, પીળા વસ્ત્રો વગેરેનું દાન કરવું જોઈએ. આ દિવસે શ્રી હરિ વિષ્ણુની પણ પૂજા કરો.

મકરઃ આ રાશિના સ્વામી ગ્રહ શનિદેવ છે. આ દિવસે આ લોકોએ સરસવનું તેલ, કાળા તલ, છત્રી અને વાદળી રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ.

Solar Eclipse 2023: 20 એપ્રિલે હાઈબ્રિડ સૂર્ય ગ્રહણ, 'સંપૂર્ણ અંધકાર' અને 'રિંગ ઑફ ફાયર' બંનેનુ સંયોજનSolar Eclipse 2023: 20 એપ્રિલે હાઈબ્રિડ સૂર્ય ગ્રહણ, ‘સંપૂર્ણ અંધકાર’ અને ‘રિંગ ઑફ ફાયર’ બંનેનુ સંયોજન

કુંભઃ શનિદેવ આ રાશિના પણ સ્વામી છે. તેમને ખુશ રાખવા માટે સરસવનું તેલ, કાળા તલ, છત્રી અને વાદળી રંગના કપડાં વગેરેનું દાન કરી શકાય છે.

મીનઃ આ રાશિનો સ્વામી ગ્રહ ગુરુને માનવામાં આવે છે. ગ્રહણના દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે હળદર, કોળું, ચણાનો લોટ, કેસર, ગોળ, પીળા કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો.

English summary

Solar Eclipse 2023: Donate these things as per zodiac signs on Surya Grahan day.

Story first published: Thursday, April 20, 2023, 8:37 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here