Astrology

oi-Hardev Rathod

|

Surya Gochar 2023 : ગ્રહો રાજા સૂર્યદેવ 15 મેના રોજ ઉચ્ચ રાશિ મેષથી નિકળીને શુક્રગદેવના સ્વામિત્વવાળી રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. તેમના આ ગોચરને કારણે ત્રણ રાશિની સમસ્યા વધી જશે. જે કારણે તેમને સાવધાન રહેવાની જરૂર છે.

મેષ રાશિ – મેષ રાશિના લોકો માટે હવે સૂર્ય ગોચર બીજા ઘરમાં જ રહેશે. આ ઘરમાં સૂર્ય ગોચર તમારી વાણીમાં ઉગ્રતા લાવવાનું કામ કરશે. આ સમયે પરિવારમાં કોઈ જમીનને લઈને વિવાદ થઈ શકે છે. આ સમયે તમારે તમારા પ્રેમ સંબંધોમાં ખૂબ કાળજી રાખવી પડશે.

તમારા લવ પાર્ટનરની ભાવનાઓને સમજવાનો આ સમય છે. આ સમયે તમને સલાહ આપવામાં આવે છે કે, કોઈને પૈસા ઉધાર ન આપો. આર્થિક રીતે તમે મજબૂત બનશો, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખો.

મિથુન રાશિ – આ રાશિના લોકો માટે હવે સૂર્ય બારમા ભાવમાં ગોચર કરશે. બારમા ભાવમાં ત્રીજા ઘરના સ્વામીના સૂર્ય ગોચરને કારણે તમારા બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે. આ સમયે, મુસાફરીમાં સમયનો વ્યય થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

તમારી ઈચ્છા વિરુદ્ધ તમને ક્યાંક ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ સમયે આપણે મોસમી રોગોથી પોતાને બચાવીને ચાલવું પડશે. જો તમે આ સમયે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો સમય તમારા માટે અનુકૂળ નથી.

તુલા રાશિ – આ રાશિના લોકો માટે હવે સૂર્ય આઠમા ભાવમાંથી ગોચર કરશે. આ ઘરમાં સૂર્ય ગોચર તમારા પિતાના સ્વાસ્થ્ય માટે અશુભ છે. આ સમયે તમારા વડીલો સાથેના સંબંધો પણ બગડી શકે છે.

આ સમયે વિવાહિત જીવનમાં તણાવની સંભાવના છે. આ સમયે, જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તે કાળજીપૂર્વક કરવું પડશે. તમારી વાણી પર સંયમ રાખો અને પરિવારમાં કોઈપણ પ્રકારના ઝઘડાથી પોતાને સુરક્ષિત રાખો.

English summary

Surya Gochar 2023 : Surya Transit will happen on May 15, three zodiac signs will be alert

Story first published: Thursday, May 11, 2023, 16:15 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here