Astrology
oi-Manisha Zinzuwadia
Budh Gochar 2023: વેપાર-વ્યવસાય, લેખન-વાંચન, બૌદ્ધિક કાર્યોનો પ્રતિનિધિ બુધ આજથી મેષ રાશિમાં માર્ગી થઈ રહ્યો છે. 21 એપ્રિલના રોજ બુધ વક્રી થયો હતો. બુધના ગોચરને કારણે વેપારી વર્ગને મોજ થવાની છે. બૌદ્ધિક કાર્ય સાથે જોડાયેલા લોકોને ફાયદો થવાનો છે.
Vastu Tips: ઘરના દ્વાર આપોઆપ બંધ થઈ જાય તો થઈ જાવ સાવધાન, અહીં જાણો ઉપાય
પર્યાવરણ પર અસર
બુધ પર્યાવરણનું પણ પ્રતિનિધિત્વ કરે છે. બુધના ગોચરને કારણે વાતાવરણમાં ઘણા ફેરફારો થશે. મેષ રાશિ મંગળની રાશિ છે અને રાહુ અને ગુરુ પણ તેમાં હાજર છે. જેના કારણે વાતાવરણ ગરમ થશે, આગચંપી જેવી ઘટનાઓ બની શકે છે. વન્ય પ્રાણીઓ ગરમીથી પરેશાન થશે. કેટલીક કુદરતી આફતો, ઘટનાઓ પણ બની શકે છે.
શિક્ષણ પર અસર
બુધ બૌદ્ધિક ક્ષમતા અને શિક્ષણનો ગ્રહ પણ છે. વિદ્યાર્થી વર્ગને નવી તકો મળશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં શિક્ષણ મેળવવાનું સપનું જોઈ રહ્યાં છે તેઓ પોતાના કામ પૂરાં કરી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે. લેખન અને સાહિત્ય સાથે જોડાયેલા લોકોને કોઈ સન્માન અને પુરસ્કાર મળી શકે છે.
Chanakya Niti: જે મળ્યુ છે એને સંભાળીને રાખો, નહિતર કશુ નહિ મળે
ધન પર પ્રભાવ
ગુરુ સાથે બુધનો સંયોગ ધનના આગમનનો સૂચક છે, પરંતુ જો આ ધન અનૈતિક કામોથી આવે તો તે મોટું નુકસાન આપીને જશે. ગુરુ શુભ કાર્યોથી લાભ આપશે. લોકોની ધાર્મિક વૃત્તિમાં વધારો થશે. તીર્થયાત્રાઓ થશે, કથાઓમાં રસ લેશે.
સંબંધો પર અસર
બુધ પરસ્પર સંબંધો સાથે પણ સંબંધિત છે. જેમના વ્યવસાયિક સંબંધો ખરાબ થઈ રહ્યા છે તેમના માટે સારો સમય આવી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં લોકો સાથેના સંબંધો સુધરવાથી ધંધામાં પ્રગતિ થશે, નવા વ્યાપારિક કરારો થશે અને વિદેશ વેપારની શક્યતાઓ સર્જાશે.
Budh Uday 2023: બુધનો આજે ઉદય, બધી રાશિઓને મળશે બુધાદિત્યનો લાભ
શું ઉપાય કરવા
તમામ રાશિના લોકોએ બુધના ગોચર સમયે ભગવાન શ્રી ગણેશની દરરોજ પૂજા કરવી જોઈએ. લાભ થશે. ગણેશજીને દુર્વા અર્પણ કરો. વૃક્ષો અને છોડની સેવા કરો, પક્ષીઓને લીલા મગ ખવડાવો.
English summary
Mercury transit in Aries 2023. Know Budh Gochar effects.
Story first published: Monday, May 15, 2023, 10:12 [IST]