રોયટર્સના રિપોર્ટ પ્રમાણે પોલીસનું કહેવું છે કે ગોળીઓ ઘણી નજીકથી મારવામાં આવી છે. રિપુદમનનું સ્થળ પર જ મોત થયું હતું. 1985ના એર ઇન્ડિયા ફ્લાઇટના બોમ્બ બ્લાસ્ટમાં રિપુદમનનું નામ સામે આવ્યું હતું. જોકે આ પછી 2005માં તેમને આ કેસમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – પટનામાં આતંકી મોડ્યુલનો ખુલાસો, પીએમ મોદીનો બિહાર પ્રવાસ હતો નિશાના પર
બ્લાસ્ટમાં 331 લોકોના થયા હતા મોત
એર ઇન્ડિયાની ફ્લાઇટ 22 જૂન 1985ના રોજ કેનેડાથી દિલ્હી રવાના થઇ હતી. આયરિશ એર સ્પેસમાં વિસ્ફોટ થયો હતો અને ફ્લાઇટમાં સવાર 22 ક્રુ મેમ્બર સહિત 331 યાત્રીઓના મોત થયા હતા. જેમાં મોટાભાગના ભારતીય મૂળના કેનેડિયન નાગરિક હતા.
બ્લાસ્ટના સમયે પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટથી લગભગ 45 મિનિટ દૂર હતું. કેનેડામાં રહેતા શીખ નેતા રિપુદમન સિંહ મલિકને આ મામલે આરોપી માનવામાં આવ્યા હતા. ઘટનાના 20 વર્ષ પછી તે નિર્દોષ સાબિત થયા હતા અને 2005માં છોડી મુકાયા હતા.
આ પણ વાંચો – આખરે કયા લોકોની મદદથી રાતો રાત માલદીવ ભાગ્યા ગોટબાયા રાજપક્ષે?
આ વર્ષે જાન્યુઆરીમાં રિપુદમન સિંહે પીએમ મોદીના વખાણ કર્યા હતા. આ સાથે તેમણે શીખ સમુદાય માટે ઉઠાવવામાં આવેલા પગલા માટે મોદી સરકારનો આભાર માન્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર