Aadhaar Card Rules: ભારત સરકારે બાળકોના આધાર કાર્ડ માટે કેટલાક નવા નિયમો જારી કર્યા છે. જો તમારા ઘરમાં પણ બાળકો છે તો આજે જ આ નિયમ જાણી લો અને તમારા બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરી લો.

નવી દિલ્હી: UIDAI (Unique Identification Authority of India) એટલે કે આધાર કાર્ડનો ડેટા સ્ટોર રાખતી ભારત સરકારની સંસ્થાએ બાળકોના આધાર કાર્ડ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. UIDAI એ ભારતીય બાળકોના આધાર કાર્ડ એટલે કે બાલ આધારને અપડેટ કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.

બાળકોના આધાર કાર્ડ માટેના મહત્વના નિયમો

આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ છે, જે અંતર્ગત માતા-પિતાને તેમના બાળકોના 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરે આધાર કાર્ડ અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે. મતલબ કે જો તમારા ઘરમાં કોઈ બાળક હશે તો તમારે 5 વર્ષની ઉંમરે અને પછી 15 વર્ષની ઉંમરે તેનું આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત રહેશે.

UIDAIએ પણ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપી છે અને કહ્યું છે કે માતા-પિતાએ તેમના બાળકોના 5 અને 15 વર્ષની ઉંમરે આધાર કાર્ડ અપડેટ કરવું આવશ્યક છે. માતા-પિતા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને તેમના બાળકોના આધાર કાર્ડને બિલકુલ મફતમાં અપડેટ કરાવી શકે છે.

5 વર્ષ સુધીના બાળકો માટે બ્લુ આધાર કાર્ડ

UIDAI અનુસાર, ઉંમર સાથે બાળકોના ફિંગરપ્રિન્ટ્સ સહિત શરીરના તમામ ભાગોમાં ફેરફાર થાય છે, જેને અપડેટ કરવું ફરજિયાત છે. બાળ આધાર અને સામાન્ય આધાર વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરવા માટે, સરકારે તેને 0-5 વર્ષના બાળકો માટે વાદળી રંગનું બાળ આધાર જારી કરવાનું શરૂ કર્યું છે. આ વાદળી રંગનું આધાર કાર્ડ 5 વર્ષની ઉંમર પછી માન્ય રહેશે નહીં.

જો તમારા બાળકોની ઉંમર 5 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય, તો તમારે તાત્કાલિક તમારા નજીકના આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ અને તમારા બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જોઈએ. આ મફત સેવા છે. તે પછી તમારા બાળકોને આપવામાં આવેલ વાદળી રંગનું બાલ આધાર કાર્ડ સફેદ રંગના કાર્ડમાં બદલાઈ જશે, જે સામાન્ય રીતે લોકો પાસે હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here