આ ઘટના મંગળવારે બપોરે ઘટી હતી. બારાબાગ હનુમાન હનુમાન મંદિરના પૂજારી કુલદીપ મિશ્રાએ જણાવ્યું કે જ્યારે તેઓએ આરોપીને દાન પેટી પાસે ચાલતા જોયો તો તેને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મંદિર પરિસરમાં ભાગવા લાગ્યો. ભક્તોની મદદથી તેને પકડીને પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રોહિત જણાવ્યું હતું. જ્યારે તેઓએ કડકાઇપૂર્વક પૂછપરછ કરીને ઓળખપત્ર માંગ્યું તો તેને પોતાનું સાચું નામ ઝુબેર હોવાનો સ્વીકાર કર્યો હતો. દિલ્હી જવા માટે પૈસાની જરૂર હતી, તેથી મંદિરની દાનપેટીમાંથી ચોરી કરવા માટે આવ્યો હતો. તેની પાસેથી દાનપેટીમાંથી ચોરાવામાં આવેલા 1692 રૂપિયા પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : Mumbai: એક AC વડે બે રૂમને ઠંડક આપવાનો ‘મુંબઈની હોટેલ’નો જુગાડ, રૂમ કસ્ટમરના ઉડી ગયા હોંશ
ધાર્મિક સૂત્રોચ્ચાર કરવા બદલ ટોળાએ માર્યો માર
પૂજારીએ કહ્યું કે જ્યારે તેનું અસલી નામ બહાર આવ્યું તો તેઓએ તેને પોલીસને હવાલે કરવા કહ્યું, ત્યારબાદ તેણે ધાર્મિક નારા લગાવીને મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું. જેના કારણે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હતી અને તેઓએ આરોપીઓને માર માર્યો હતો. તેણે મંદિરના નકશાની જાણકારી મેળવવાના હેતુથી ત્યાં આવવાનો પણ આરોપ લગાવ્યો છે. આ દરમિયાન પ્રેમનગર પોલીસ પહોંચી હતી અને આરોપીને તેમના હવાલે કર્યો હતો. પ્રેમનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ક્રાઈમ મેહર સિંહે જણાવ્યું કે પૂજારીની ફરિયાદ પર રિપોર્ટ નોંધ્યા બાદ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આરોપીએ પોતાનું નામ રોહિત જણાવ્યુ છે અને દિલ્હી જવા માટે પૈસા ન હોવા પર ચોરી કરી હોવાનું કબુલ્યું છે. તો બીજી તરફ પૂજારીનું કહેવું છે કે તે ખોટા ઈરાદાથી મંદિરમાં પ્રવેશ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Hanuman Temple, દિલ્હી