રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 1962માં ચીને લદ્દાખમાં આપણા ક્ષેત્ર પર કબજો કર્યો હતો. ત્યારે પંડિત નહેરુ આપણા દેશના પ્રધાનમંત્રી હતા. હું તેમની નિયતિ પર સવાલ ઉઠાવીશ નહીં. ઇરાદા સારા હોઇ શકે છે પણ આ નીતિયો પર લાગુ થતા નથી. હું પણ એક વિશેષ રાજનીતિક દળથી આવું છું પણ હું ભારતના કોઇપણ પ્રધાનમંત્રીની ટીકા કરવા માંગતો નથી. કોઇની નીતિયોને લઇને આપણે ટીકા કરી શકીએ છીએ પણ કોઇની નિયતિને લઇને સવાલ ઉઠાવી શકીએ નહીં. જોકે ભારત આજે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક છે.
આ પણ વાંચો – કોણ છે અર્પિતા મુખર્જી? જેના ઘરે EDએ દરોડા પાડતા મળ્યા 20 કરોડ રૂપિયા
कारगिल विजय, भारतीय सेना के शौर्य और पराक्रम का गौरवपूर्ण अध्याय है। https://t.co/UfYdl5qH1n
— Rajnath Singh (@rajnathsingh) July 24, 2022
રાજનાથ સિંહે કહ્યું કે 1962માં આપણા દેશના લોકોએ જે નુકસાન ઉઠાવવું પડ્યું તેનાથી દેશ સારી રીતે પરીચિત છે. તે નુકસાનની ભરપાઇ આજ સુધી થઇ શકી નથી. તેમણે કહ્યું કે દેશ આજે જે ઝડપથી આગળ વધી રહ્યો છે હું ડંકાની ચોટ પર કહેવા માંગીશ કે હવે ભારત કમજોર રહ્યું નથી પણ દુનિયામાં તાકાતવર દેશ બનતો જઈ રહ્યો છે.
રાજનાથ સિંહે કહ્યું કે કારગિલ યુદ્ધમાં વિજય ભારતીય સેનાના શોર્ય અને પરાક્રમનો ગૌરવપૂર્ણ અધ્યાય છે. દેશની એકતા, અખંડતા અને સંપ્રભુતાને બનાવી રાખવામાં ભારતીય સેનાનું ઘણું મોટું યોગદાન છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર