પશ્ચિમ બંગાળમાં શિક્ષા ભરતી ગોટાળાની ચર્ચા થઈ રહી છે. આ ભરતી ગોટાળાની તપાસ રાજ્ય સરકાર અને મંત્રીઓ સુધી પહોંચી ગઈ છે. મમતા બેનર્જીની સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીની (Parth Chatterjee)નજીકની વ્યક્તિ અર્પિતા મુખર્જીના (Arpita Mukherjee)ઘરે EDએ દરોડા પાડીને 20 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. પાર્થ ચેટર્જીના ઘરે પણ શુક્રવારથી દરોડા (Enforcement Directorate)પાડવામાં આવી રહ્યા છે. આ તમામ તપાસ વચ્ચે સવાલ ઊભા થઈ રહ્યા છે કે, અર્પિતા મુખર્જી કોણ છે? અને પાર્થ ચેટર્જી સાથે કેવી રીતે જોડાયેલા છે?