krushna salpure, Navsari: નવસારી જિલ્લાને વ્યસન મુક્ત કરવા એસબીઆઇનાં નિવૃત કમર્ચારી યઝદીભાઇ જાનભાઇ કોન્ટ્રાકટરે મૂહિમ ઉપાડી છે. વર્ષ 2001માં યઝદીભાઇનાં પિતા જાનભાઇનું કેન્સરની બીમારીનાં કારણે નિધન થયું હતું. બાદ જિલ્લાને વ્યસન મુક્ત કરવા કટ્ટીબધ્ધ થયા છે.

અત્યાર સુધીમાં નવસારી શહેરનાં 800થી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યાં છે. લોકોને તમાકુનું સેવન બંધ કરી દીધું છે. યઝદીભાઇ પારસી સમાજમાંથી આવે છે.કેવી રીતે આ અભિયાન નો વિચાર આવ્યો
પિતાનું કેન્સરના કારણે નિધન થયું હતું. ત્યારથી જ યઝદીભાઈએ એક સંકલ્પ કર્યો હતો. હવે મારે કોઈને પણ આ કેન્સરના ભરડામાં જતો જોવો નથી. મુસ્કુરાહટ નામની ટીમ બનાવી છે.
Navsari seva2
આ ટીમ નવસારી અને આસપાસનાં ગામડામાં ફરીને લોકોને જાગૃત કરે છે. લોકોને તમાકુ છોડાવવાનું કામ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : 67 વર્ષનાં તારામતીબેનની કરાટે, કી બોક્સિંગમાં નિપૂણતા, વાંચવા જેવી છે સંઘર્ષ ગાથા

મુસ્કુરાહટ ટીમ આ અભિયાન માટે શું કાર્ય કરે છે
ટીમ મુસ્કુરાહટ અઠવાડિયામાં એક કાર્યક્રમનું આયોજન કરે છે. કાર્યક્રમમાં સંગીતનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. આ સંગીતના તાલ સાથે તેઓ તેમના મોઢા ઉપર મુસ્કુરાહટ લાવે છે. યઝદીભાઈ અને તેમની ટીમનો એક જ ધ્યેય છે કે, કોઈ પણ વ્યક્તિતમાકુનું સેવન ન કરે અને આ વ્યસનના ભરડામાં ન ફસાય.

First published:

Tags: Local 18, Navsari News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here