વાંસદા વિધાનસભા બેઠક (vansda assembly constituency)
વાંસદા ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે તેનું નામ વાંસદા પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું. હવે વાંસદા વિધાનસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં આવેલ 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક છે. આ બેઠક નવસારી જિલ્લામાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત છે.
વાંસદા બેઠકમાં સમાવિષ્ટ થતા ગામ
વાંસદા તાલુકો તેમજ ચીખલી તાલુકા જોગવડ, કાંગવઈ, રાનવેરીકલ્લા, રાનવેરીખુર્દ, ખરોલી, કુકેરી, સુરખાઈ, રાનકુવા, માણેકપોર, હરણગામ, દોંજા, સાદડવેલ, બામણવેલ, ખાંભડા, ખુડવેલ, ફડવેલ, સરવાણી, અંબાચ, કણભાઈ, બામણવેલ, બામણવેલ, અમધરા, મોગરાવાડી, ઢોલાર, ગોડથલ, વેલણપોર, કાકડવેલ, માંડવ ખડક, અગાસી, રુમલા, નડગધારી, ધામા ધુમા, ઘોડવાણી, ઝરી, ઢોલમ્બર, તોરણવેરા, પાણીખડક, કાકડવેરી, પાટી સહિતના ગામ આ બેઠકમાં આવે છે.
વાંસદા બેઠકનું જાતિગત સમીકરણ (Gender equation of Vansda seat)
કોંગ્રેસનું ગઢ ગણાતી વાંસદા વિધાનસભા વિસ્તારમાં કુલ 141 ગામો આવેલા છે. જેમાં વાંસદા તાલુકાના 95 ગામો, ચીખલી તાલુકાના 36 ગામો અને ખેરગામ તાલુકાના 5 ગામોનો સમાવેશ થાય છે. વાંસદા તાલુકામાં 90 ટકાથી વધારે વસ્તી આદિવાસી લોકોની છે. જેમાં ઢોડિયા પટેલ અને કુકણા પટેલનો સમાવેશ થાય છે.
વાંસદા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ
વાંસદા બેઠક પર કોંગ્રેસે બૂથ પર યુથની રણનીતિ થકી ભાજપને જંગી બહુમતીથી ધોબી પછાડ આપવા કમર કસી છે. નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાની વાંસદા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. અગાઉ વાંસદા-ડાંગ વખતે અને ત્યારબાદ ડાંગ અને વાંસદા વિધાનસભા અલગ થયા બાદ પણ વાંસદા પર કોંગ્રેસ જ જીતતી આવી છે. જો કે 2017ની ચુંટણી પૂર્વે આદિવાસીઓને રીઝવવા ઓટલા બેઠકો કરી ભાજપે વાંસદા જીતવા ધમપછાડા કર્યા હતા. નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠકોમાંથી વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી વાંસદા વિધાનસભા બેઠક જીતવા ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ધ્યાન કેન્દ્રિત કરી રાજકીય દત્તક લીધાની જાહેરાત કરતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
આ પણ વાંચો- Gujarat election 2022: જાણો કોંગ્રેસનો ગઢ ગણાતી ડાંગ જિલ્લાની નિઝર વિધાનસભાનો ચિતાર
બેઠક જીતવા આપ પણ મેદાનમાં
આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટી પણ કમર કસી રહી છે. નવસારીની વાંસદા બેઠકની વાત કરીએ તો અવિનાશ ભાઈ સોલંકીની અધ્યક્ષતામાં અહીં આપ દ્વારા બપેઠકોનુ આયોજન કરવામાં આવે છે. આ બેઠકો અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવેલા કામો અને સ્થાનિક લોકોના પ્રશ્નો અને ગ્રામિણ વિસ્તારોમાં વિકાસ અંગે ચર્ચા કરી ચૂંટણીની વ્યૂહ રચના તૈયાર કરવામાં આવે છે.
કોંગી ધારાસભ્યની જંગી બહુમતીથી જીત
ગત ચૂંટણીમાં ભાજપની મહેનત પાણીમાં ગઇ હતી અને કોંગી ધારાસભ્ય અનંત પટેલ 19 હજારની લીડથી જીત્યા હતા. હવે જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ફરી ભાજપે વાંસદા વિધાનસભા જીતવા મથામણ શરૂ કરી છે, જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ અંગત રસ દાખવ્યો છે અને વાંસદા વિધાનસભા જીતાડવાની વાત સાથે રાજકીય દત્તક લીધાની જાહેરાત કરી છે.
વાસંદા બેઠક પરના હાર-જીતના સમીકરણ (win-loss equation on the Vasanda seat)
વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
2017 | પટેલ અનંતકુમાર | આઈએનસી |
2012 | ચૌધરી કોળુભાઈ | આઈએનસી |
1972 | રતનભાઈ ગામિત | આઈએનસી |
1967 | આર જી ગામિત | પીએસપી |
1962 | બહાદુરભાઈ પટેલ | આઈએનસી |
ભાજપની પેજ સમિતિ સામે કોંગ્રેસની બૂથ પર યૂથની રણનીતિ
ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે વાંસદા વિધાનસભા રાજકીય રીતે દત્તક લીધી હોવાનું જાણતા વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે પાટીલને 182 બેઠકો કબજે કરવાની વાત યાદ અપાવી હતી. આ સાથે જ વાંસદા પર ધ્યાન આપવામાં ગુજરાતની અન્ય બેઠકો ગુમાવવાનો વારો આવશે, તેવો ટોણો પણ માર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ વાંસદા બેઠક પર જીતવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે 5 વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામો, આદિવાસીઓ માટે ઊઠાવવામાં આવેલા શિક્ષણ, આરોગ્ય, પાણી સહિતના પ્રશ્નો મતદારો સુધી પહોંચાડી, મતદારોને કોંગ્રેસ તરફ આકર્ષી બહુમત મેળવવાની આશા વ્યક્ત કરી હતી. આ સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખે પણ અગાઉ માઈક્રો પ્લાનિંગથી અને કોઇક કારણથી પછડાટ ખાધી હોવાની વાત કરી છે, જો કે આ વખતે ભાજપ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી વાંસદા વિધાનસભા જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
રાહુલ ગાંધી પોતે કરે છે પ્રચાર
કોંગ્રેસના નેતા રાહુલ ચૂંટણી પહેલા ગુજરાતનાં પ્રવાસે આવતા હોય છે. એવામાં રાહુલ ગાંધી દક્ષિણ ઝોનના વાંસદા ખાતે આદિવાસી સત્યાગ્રહ સંમેલનને પણ સંબોધી ચૂક્યા છે. જણાવી દઈએ કે આ બેઠક પર કોંગ્રેસ વતી પ્રચાર કરવા રાહુલ ગાંઘી પોતે હાજર રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં વધુને વધુ પ્રચાર કરી રહી છે.
આ પણ વાંચો- કોંગ્રેસ બાલાસિનોર બેઠક જાળવી રાખશે કે થશે સત્તા પરિવર્તન?
રાજ્યસભા દરમિયાન ગરમાયો હતો માહોલ
ગુજરાતમાં જ્યારે-જ્યારે રાજ્યસભા ચૂંટણી થાય છે, ત્યારે ત્યારે રાજ્યનું રાજકારણ ગરમાય જ છે. 2020 વખતે પણ રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. આ બાબતે માંગરોળ બેઠકના કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ પર લાંચની ઓફર કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજી તરફ વાસંદા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ભાજપના કેટલાક અગ્રણીઓ મારફતે પોતાને કરોડો રૂપિયાની ઓફર આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમના વિધાનસભા ક્ષેત્રમાં આવતા આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોને ઝડપી બનાવવાના બહાને ઓફર કરવામાં આવી હોવાનો ભાજપ પર આરોપ મૂકવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક
| મહેમદાબાદ | વિસનગર | મહેસાણા | વડગામ | અંજાર | વાવ | દાહોદ | દ્વારકા | વિજાપુર | વલસાડ | સિધ્ધપુર | ઘાટલોડિયા | કડી | બાપુનગર | અમરેલી | સુરત પશ્વિમ | જસદણ | રાજકોટ દક્ષિણ | નડિયાદ | | સોજિત્રા | ખંભાત | ગઢડા | બોરસદ | આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ | મહુધા | કપડવંજ | ઠાસરા | કોડીનાર | લાઠી | સાવરકુંડલા | ગારિયાધાર | મહુવા | પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી| વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી | દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર |
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections